
શું આપણે ક્યારેય જાણ્યું છો કે એશિયાના સૌથી પૈસાદાર લોકો જઈ જગ્યાએ રહે છે? તે કઈ બિલ્ડિંગોમાં રહેતા હોય છે, તે બંગ્લોઝ ના કયા માળ પર રહેતા હોય છે, તેમના ઘરમાં કેટલા કર્મચારીઓ તેમનું કામ કરતા હોય છે અને છેલ્લું કે તેમનું ઘર કેટલું મોંઘું બનાવેલું હોય છે? કોણ જાણે છે… તો આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ તમને જણાવીશું જે ખૂબ જ ખાસ છે.
આજે આપણે જેના ઘર વિશે જાણવા જઈ રહ્યા છો તે છે મુકેશ અંબાણી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નામનો સમાવેશ વિશ્વના ટોપ 10 સૌથી અમીર લોકોની યાદીમાં જોવા મળે છે. મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈમાં અલ્ટ્રામાઉન્ટ રોડ પર એન્ટિલિયા નામની આલીશાન હવેલીમાં રહે છે.
મુકેશ અંબાણી સાથે તેમના ધર્મ પત્ની નીતા અંબાણી, તેમના પુત્ર આકાશ અંબાણી, આકાશના ધર્મ પત્ની શ્લોકા મહેતા અને નાના પુત્ર અનંત અંબાણી સાથે એન્ટિલિયામાં તે લોકો સાથે રહે છે. લંડનના પ્રખ્યાત કહેવાતું બકિંગહામ પેલેસ પછી તે દુનિયાનું બીજું સૌથી મોંઘું ઘર કહેવામાં આવે છે. મુકેશ અંબાણીના આ આલીશાન એટલે કે જોરદાર બંગલાની કિંમત અબજોમાં બોલાઈ રહી છે.
મુકેશ અંબાણી અને તેમની સાથે તેમનો આખો પરિવાર એન્ટિલિયાના 27માં માળે તે પૂરી સેફ્ટી સાથે રહે છે. તમારા મનમાં સવાલ ઉઠી શકે છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ફક્ત 27મા માળે જ કેમ રહે છે? તેની પાછળ પણ એક જોરદાર રહસ્ય છુપાયેલું છે.બિઝનેસ ઈનસાઈડર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ મુજબ જ્યારે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમે 27મા માળે રહો છો તો નીતા અંબાણીએ કહ્યું કે 27મા માળે રહેવાનું સૌથી મોટું કારણ ‘સૂર્ય પ્રકાશ’ છે. નીતા અંબાણીની પ્રામાણિક ઇચ્છા છે કે તેમના પરિવારના સભ્યો જ્યાં પણ રહે છે, તેમના તમામ રૂમમાં સૂર્યપ્રકાશ ફેલાય. આ કારણે નીતા અંબાણીએ રહેવા માટે 27મો માળ પસંદ કર્યો.
27મા માળે સુરક્ષા એટલી ચુસ્ત છે કે અંબાણી પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓને જ ત્યાં જવા દેવામાં આવે છે. અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી અને ખૂબ જ શાહી જીવન જીવે છે, તેમાં કોઈ શંકા નથી. તમને જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે કે એન્ટિલિયામાં કુલ 600 થી વધારે લોકો અંબાણીના આખા પરિવારની સેવા કરવા માટે રાખેલા છે.
એન્ટિલિયામાં કામ કરતા દરેકને મોટું વેતન મળે છે. અંબાણી હવેલીમાં કામ કરતા કર્મચારીઓના બાળકો અમેરિકા જેવી જગ્યાઓ પર અભ્યાસ કરે છે, તેના થી જ તેનો અંદાજ તમને મળી શકે છે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ જ્યારે નીતા અંબાણીને તેમના કર્મચારીઓના પગાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારા તમામ કર્મચારીઓને તેમના પરફોર્મન્સ પ્રમાણે પગાર આપવામાં આવે છે.