IndiaPolitics

ઓવૈસીનું મોટું નિવેદન, રાષ્ટ્રપતિ નહી અને મોદી પણ નહી.. આ વ્યક્તિએ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન પહેલા જ વિરોધ પક્ષોએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા મોટા ભાગના વિરોધ પક્ષોએ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
ઓમ બિરલાએ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ

આ દરમિયાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને પોતાનુ સ્ટેન્ડ રજૂ કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન તો રાષ્ટ્રપતિએ કરવું જોઈએ કે ન તો પીએમ મોદી દ્વારા. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કરવું જોઈએ.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સંસદના કસ્ટોડિયન સ્પીકર ઓમ બિરલા છે, તેથી ઉદ્ઘાટન તેમના દ્વારા જ કરવું જોઈએ. ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે તો તેઓ સમારંભમાં ભાગ લેશે નહીં.