
Turkey Earthquake: રૂમમાં 25 મૃતદેહો, મૃતદેહોને ગળે લગાવીને રડતો વ્યક્તિ… આ સીરિયન પરિવારનું ભૂકંપમાં બધું તબાહ
A magnitude 7.8 earthquake hit Turkey and Syria on Monday
સોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કી અને સીરિયાની સરહદ નજીક હતું. આવી સ્થિતિમાં તુર્કીથી લઈને સીરિયા સુધી સર્વત્ર તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપમાં જમીન પર ધસી ગયેલી ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. હજારો પરિવારો બેઘર બન્યા. સેંકડો બાળકો અનાથ બન્યા.
બંને દેશોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 15000 લોકોના મોત થયા છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 12,391 લોકોના મોત થયા છે જ્યારે સીરિયામાં 2,992 લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને દેશોમાં 11000થી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. તે જ સમયે, ઘાયલોની સંખ્યા પણ 15000 થી વધુ છે.
શેલ્ટર હોમમાં એક ઓરડો. અહીં 25 મૃતદેહો રાખવામાં આવ્યા છે. આ મૃતદેહોમાં એક જીવિત વ્યક્તિ પણ છે. ક્યારેક તે એક મૃતદેહ પાસે જતો તો ક્યારેક બીજા પાસે.રડતાં રડતાં તે મૃત વ્યક્તિનું નામ બોલતો અને પછી તેને ગળે લગાડતો.
આ મૃતદેહોમાં જે વ્યક્તિ જીવિત છે તેનું નામ અહેમદ ઈદ્રિસ છે અને આ હૃદયદ્રાવક દ્રશ્ય સીરિયાના સારાકિબ શહેરનું છે. સોમવારે આવેલા ભૂકંપે ઇદ્રિસને જીવનભરનું દુઃખ આપ્યું હતું. ભૂકંપમાં તેમના પરિવારના 25 લોકોના મોત થયા હતા.આ ભૂકંપમાં ઈદ્રીસના પરિવારના 25 સભ્યોના મોત થયા હતા. તેઓ માની શકતા નથી કે આ ભૂકંપ તેમની સાથે આ દર્દનાક યાદો લઈને આવ્યો હતો.
ઇદ્રિસ કહે છે, “સીરિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે તે સારાકિબ પહોંચ્યો હતો. જેથી બાળકો અને પોતાને સુરક્ષિત આશ્રય મળી શકે. પણ જુઓ અમને શું થયું, કેટલો અન્યાય થયો. કહેવાય છે કે આ ભૂકંપમાં તેમના પરિવારના મોટાભાગના સભ્યો ના મોત થયા છે.તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે આવું થશે. ઈદ્રીસે કહ્યું, મેં મારી પુત્રી અને તેના બે પુત્રો પણ ગુમાવ્યા છે.