
બજેટ પહેલા બજારમાં ગભરાટનો માહોલ છે. તેની અસર બજારની મૂવમેન્ટ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. મંગળવારે મજબૂત શરૂઆત બાદ સપ્તાહના બીજા કારોબારી દિવસે બજારમાં વેચવાલીનો દબદબો રહ્યો હતો. જેના કારણે BSE સેન્સેક્સ 192.90 પોઈન્ટ ઘટીને 59,307.51 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
NSE નિફ્ટી 33.70 પોઈન્ટ ઘટીને 17,615.25 પોઈન્ટ પર પહોંચી ગયો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22માં વધારો જોવા મળી રહ્યો છે અને 28માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો.અત્યંત અસ્થિર ટ્રેડિંગ વચ્ચે, છેલ્લા બે ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલો ઘટાડો સોમવારે અટકી ગયો હતો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ અસ્થિર ટ્રેડિંગમાં 169.51 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 59,500.41 પોઈન્ટ પર બંધ થયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 44.60 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના વધારા સાથે 17,648.95 પર બંધ થયો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદથી ચર્ચામાં રહેલા અદાણી ગ્રુપના શેરમાં આજે પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જો કે આજે પણ વેચવાલીનો દબદબો યથાવત છે.