
આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નિરાશાજનક પ્રદર્શન બાદ તેના પ્રાદેશિક બંધારણમાં ધરખમ ફેરફાર કર્યો છે. જેમાં ગોપાલ ઇટાલિયાના સ્થાને AAPના પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીની વરણી કરવામાં આવી છે.અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે, જ્યારે ડેડિયાપાડાથી ચૂંટાયેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાત ઝોનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત રમેશ પટેલને ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી પ્રમુખ, સૌરાષ્ટ્ર ઝોનના જગમાલ વાળા અને કચ્છ ઝોનના કૈલાશ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. સુરતની આમ આદમી પાર્ટીના કતારગામ સીટ પરથી ચૂંટણી લડનાર ગોપાલ ઈટાલિયાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિનુ મોરડિયાએ હાર આપી હતી.
જે બાદ, AAPમાં મોટા ફેરફારમાં, હવે ગોપાલ ઇટાલિયાના સ્થાને ઇસુદાન ગઢવીને ગુજરાતમાં AAPના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રમાં પાર્ટીના સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે ગોપાલ ઈટાલિયાને AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આમ, ગોપાલ ઇટાલિયાને ગુજરાત બહાર રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા સોંપવામાં આવી છે.