
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જ્યારે ગાંધીનગરમાં આજે ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા તમામ 182 ધારાસભ્યોની શપથવિધિ રાખવામાં આવી હતી. આ દરમિયાન પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ દ્વારા તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભામાં જતા પહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આ દરમિયાન મોટુ નિવેદન આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પાટીદારો પર થયેલા કેસ ઝડપથી પરત ખેંચવામાં આવશે.
હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાટીદાર પર થયેલા કેસ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે. ઋષિકેશ પટેલ સાથે આ અંગે વાતચીત પણ કરવામાં આવી છે. કાયદાની પક્રિયામાં રહી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારી પર હાલમાં ૨૮ કેસ રહેલા છે. જ્યારે અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવવાના છીએ. નેતાની છબી ધોતી કુર્તામાં હતી જોકે હવે નવી જનરેશનના નવા યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે એટલા માટે જીન્સ શર્ટનો નવો પહેરવેશ દેખાઈ છે.
વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સમીક્ષા બેઠક આજે કમલમ ખાતે યોજવાની છે. તમામ જિલ્લા, શહેર પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવવાની છે. દરેક જિલ્લાના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવશે. હારેલી બેઠકો પર સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હારના કારણો અને વિપક્ષની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. કેટલાક જિલ્લાઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચૂંટણીમાં થઇ હોવાનો એક સુર કર્યો હતો. આ પ્રકારની ગતિવિધિઓ રિપોર્ટ મંગાવવામાં આવશે